Journal/Book

પ્રકાશન :મુખપત્ર/ જર્નલ “સમાજકારણ”

બૌદ્ધિક વિચાર અને જ્ઞાન પ્રસાર દ્વારા સામાજિક ચેતના જગાવવા માટે સ્વ.ગટુભાઈ ધ્રુ એ સ્થાપેલ ગુજરાત સમાજિક સેવા મંડળની શરૂઆતના મુખપત્રનું નામ ‘જ્યોર્તીધર’હતું ત્યારબાદ ૧૯૬૬-૬૭ માં સમાજ નામ રાખવામાં આવ્યું પરંતુ તે સમયે આ નામે એક સામાયિક ચાલતું હતું તેથી ૧૯૭૧-૭૨ માં મુખપત્રનું નામ ‘સમાજકારણ’ રાખવમાં આવ્યું. જે સ્વ. યશવંતભાઈ શુક્લ એ રાખેલું . આ મુખપત્ર ચલાવવામાં અત્યાર સુધી આવેલ અનેક અવરોધો પાર કરી આજે ગુજરાતમા વ્યાપ વધારી રહ્યું છે.

પ્રકાશક : ગુજરાત સામાજિક સેવા મંડળ

સંપાદક : ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ

સંપાદકીય સમિતિ

1. ફાલ્ગુની પરિખ (સહસંપાદક)
4. વિધુત જોષી (પરામર્શક, સમાજશાસ્ત્ર)
2. હેમંત શાહ (પરામર્શક, અર્થશાસ્ત્ર)
5. થોમસ પરમાર (પરામર્શક, ઇતિહાસ)
3. પ્રશાંત દવે (પરામર્શક, તત્ત્વજ્ઞાન- મનોવિજ્ઞાન)
6. ધર્મેશ ઝાલા (પરામર્શક, રાજ્યશાસ્ત્ર)

આજીવન લવાજમ રૂ. 1500/-

આપ સીધા અમારા બેંક ખાતામાં જમા કરી શકો છો. જેની વિગત નીચે મુજબ છે :
  • બેંક ખાતાનું નામ : ગુજરાત સામાજિક સેવા મંડળ
  • બેંક A/c No. 200210100002590
  • બેંક નું નામ : Bank Of India
  • શાખા : Ashram Road Branch, Ahmedabad
  • IFSC Code BKID0002000
  • બેંકમાં નાણાં ભર્યાની વિગત અને આપનું સરના મું વોટ્સએપ પર ઈમેલ પર મોકલાવશો જેથી અંક સમયસર પહોંચાડી શકાય.

સમાજકારણમાં સંશોધન લેખ લખી મોકલવા માટે અગત્યની સૂચના

ખાસ નોંધ : લેખ મોકલતાં પહેલાં સમાજકારણના આજીવન સભ્ય બનવું જરૂરી છે.
પેપરનું માળખું જેમાં...
પહેલા પાના પર...

(1) લેખનું શીર્ષક (2) લેખક/લેખકોનાં પૂરાં નામ (3) લેખક/લેખકોનો હોદો (4) કોલેજ/યુનિવર્સિટી/ સંસ્થાનું નામ અને સરનામું (5) ઈમેલ આઈડી (6) મોબાઈલ નંબર (7) સામાજિક સેવા મંડળનો સભ્યપદ નંબર

બીજા પાના પરથી શરૂ કરી...

(1) લેખનું શીર્ષક (2) લેખકનું નામ (3) (Abstract) સારાંશ (250 શબ્દોમાં) જેમાં સંશોધનનો વિષય, હેતુઓ, પ્રશ્નો અભ્યાસપદ્ધતિ અને મુખ્ય તારણોનો ઉલ્લેખ આવી જવો જોઈએ. (4) (Key- words) ચાવીરૂપ શબ્દો ત્રણથી ચાર (5) પ્રસ્તાવના (6) અભ્યાસપદ્ધતિ (7) સૈદ્ધાંતિક મુદાઓ - ચર્ચા - વિશ્લેષણ (8) તારણો — નિષ્કર્ષ અને સૂચનો (9) સંદર્ભસૂચિ સાથે લેખ સંપન્ન કરવો.

  • આપનો લેખ APA style-6 અથવા 7 મુજબ લખવો જરૂરી છે. આપના લેખમાં 3000 શબ્દોથી વધુ શબ્દો હશે તો સ્વીકારવામાં આવશે નહીં.
  • વિશેષમાં લેખનમાં ભાષાશુદ્ધિની કાળજી લેખકે લેવી આવશ્યક છે.
  • આપનું સંશોધન લેખના ફોન્ટ: બી-ભારતી ફક્ત ગોપિકા-2, ફોન્ટ 12 અથવા યુનિકોડ ફોન્ટ, ટાઇમ્સ રોમન-12 મુજબ ટાઇપ કરવું.
  • કાગળની નીચે જમણી બાજુએ પાના નંબર લખવા.
  • સામાજિક સેવામંડળના ઉદ્દેશોને અનુરૂપ ગુજરાત, ભારત તેમજ વિશ્વના જુદા જુદા સામાજિક પ્રશ્નોને અનુલક્ષીને થયેલા વૈજ્ઞાનિક અભ્યાસો, મોજણીઓ, સંશોધનો તેમજ સમાજને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને સમાવતા લેખ આવકાર્ય છે. ગુજરાતના સમાજને લગતા અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • સંક્ષિપ્ત પુસ્તકપરિચય, ગ્રંથાવલોકન, સમાજપરિવર્તનના પ્રયત્નો સંબંધિત લખાણો તેમજ સમાજ- વિજ્ઞાનોના શોધસમાચાર તેમજ સંસ્થાના સમાચાર આવકાર્ય છે.
  • સમાજકારણને ISSN નંબર પ્રાપ્ય છે. તેમજ તે સમકક્ષસમીક્ષિત (Peer Reviewed) સામયિક છે, તેથી પરામર્શકનો અભિપ્રાય આખરી ગણાય છે. તેમના નિર્ણય બાદ લેખ છપાય છે.
  • સામાજિક સેવા મંડળનું આજીવન સભ્યપદ ધરાવનારને “સમાજકારણ' અંક પહોંચાડવામાં આવે છે. ક્વચિત્ ન મળે તો આપેલા ફોન નંબર પર ફોન કરી ધ્યાન દોરવું. શ્રી ગૌરાંગભાઈ શાહ મો. 98256 15049
  • જાન્યુઆરીના અંકમાં પ્રકાશિત કરવા ઓક્ટોબરના અંત સુધીમાં અને જુલાઈના અંકમાં લેખ પ્રકાશિત કરવા એપ્રિલના અંત સુધીમાં આપના લેખો-સમાચાર-પ્રવૃત્તિ-નોંધ મોકલી દેવા વિનંતી છે.
  • સાથે અહીં આપેલ પ્રમાણપત્ર લેખકે અવશ્ય ભરીને મોકલવું.
ગુજરાત સમાજિક સેવા મંડળ

શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯.

લેખક દ્વારા પ્રમાણપત્ર

સમાજકારણ જુલાઈ ૨૦૨૪

View PDF

સમાજકારણ જાન્યુઆરી ૨૦૨૪

View PDF

સમાજકારણ જુલાઈ ૨૦૨૩

View PDF

પુસ્તક

ડો.તારાબેન પટેલ સ્મૃતિ ગ્રંથ ‘ સમકાલીન ગુજરાતી સમાજ’ ડો વિદ્યુત જોશી ૨૦૧૩ ગુર્જરગ્રંથ રત્ન કાર્યાલય
ગુજરાતના દુષ્કાળો – રોહિત શુક્લ ૧૯૮૦ હિમાંશુ બુક ડીપો
ગુજરા તની ગ્રામીણ અર્થવ્યવસ્થા – ડો. વી.એસ.વ્યાસ અનુવાદ, રમેશભાઈ શાહ
આદિવાસી આશ્રમ શાળાઓનું અધ્યયન ડો વિદ્યુત જોશી ૧૯૮૦ હિમાંશુ બુક ડીપ
ગટુભાઈ ધ્રુ સ્મારક ગ્રંથ – સ્વ.યશવંત શુક્લ, ડો. હસમુખ પટેલ ૧૯૭૨

ગુજરાત ની ગ્રામીણ અર્થવ્યવસ્થા

View

સમકાલીન ગુજરાતી સમાજ

View

આશ્રમશાળાઓ ૧

View